WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો
How to Survive a Heat Wave - Rajasthan PTET

How to Survive a Heat Wave

Use box fans and ceiling fans to promote air circulation throughout your home. Opening doors in the house and using box fans to push hot air outdoors can function as an "exhaust" system and draw cooler evening air into the house. In the cooler evenings, open all windows and promote as much air circulation as possible. When the sun rises, close all doors and windows, making sure to close curtains and blinds as well, to keep the indoors cool for as long as possible. When the outside air cools to a lower temperature than inside (usually in the evenings or at night), open up the windows and turn on the fans again.


Take advantage of the cooling power of water. Fill buckets or basins and soak your feet. Wet towels and bandannas can have a cooling effect when worn on the shoulders or head. Take cool showers or baths, and consider using a spray bottle filled with cold water for refreshing spritzes throughout the day.


Head downstairs. Since hot air rises, the upper stories of a home will be warmer than the ground floor. A basement can be a cool refuge from the midday heat.





કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માર્ચથી મે મહિના સુધી સંભવિત હીટવેવ માટે એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા 2023 માટે પ્રથમ વખત ગરમીની ચેતવણી જારી કરવામાં આવી હોવાથી શું કરવું અને શું ન કરવું તેની સૂચિ તૈયાર કરવામાં આવી છે.


તરસ ન લાગે તો પુરતું પાણી પીવાનું રાખો
સ્વાસ્થ્ય મંત્રાલયે ગરમી સંબંધિત બીમારી પર નેશનલ એક્શન પ્લાન હેઠળ એક ગાઇડલાઇન જાહેર કરી છે. અધિકારીઓએ ભારતીયોને તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જણાવ્યું છે. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ) નો ઉપયોગ કરવા અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવાનું કહેવામાં આવ્યું છે.

મંત્રાલયે લોકોને આવી આવી પણ સલાહ આપી
મંત્રાલયે પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ
ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી છે. સરકારે લોકોને રેડિયો સાંભળવા, અખબારો વાંચવા અને સ્થાનિક હવામાનના સમાચારો માટે ટીવી જોવાનું કહ્યું છે. તેમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લોકો ભારતીય હવામાન વિભાગની વેબસાઇટને પણ ટ્રેક કરી શકે છે.

ઘરમાં સૂર્યનો સીધો પ્રકાશ અને ગરમીના મોજાને આવતા રોકો
આરોગ્ય મંત્રાલયની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ સારી રીતે હવા ઉજાશવાળી અને ઠંડી જગ્યાઓ પર ઘરની અંદર જ રહેવું જોઈએ. ઘરમાં સૂર્યનો સીધો પ્રકાશ અને ગરમીના મોજાને આવતા રોકો. ખાસ કરીને તમારા ઘરના તડકાના ભાગમાં દિવસ દરમિયાન બારીઓ અને પડદા બંધ રાખો. પરંતુ તેને રાત્રે ખોલો જેથી ઠંડી હવા અંદર આવી શકે.


આઉટડોર એક્ટિવીટી સવાર-સાંજ સુધી સીમિત રાખો
કેન્દ્રની એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, "જો બહાર જાઓ છો, તો તમારી આઉટડોર એક્ટિવિટીને દિવસના ઠંડા સમય એટલે કે સવાર અને સાંજ સુધી સીમિત રાખો. આરોગ્ય મંત્રાલયે લોકોને ખાસ કરીને બપોરે 12:00 થી 3:00 વાગ્યાની વચ્ચે તડકામાં બહાર નીકળતા ટાળવાનું જણાવ્યું હતું. કેન્દ્રએ પોતાની એડવાઈઝરીમાં કહ્યું, "ઉનાળા દરમિયાન હીટવેવ પરકાષ્ઠાએ હોય ત્યારે ઘરમાં સાવધાનીપૂર્વક જમવાનું બનાવો. રાંધવાના ભાગને પૂરતા પ્રમાણમાં હવાઉજાસ આપવા માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખો. આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ અથવા મોટા પ્રમાણમાં ખાંડવાળા પીણાં લેવાનું ટાળો કારણ કે તે ખરેખર શરીરના વધારાના પ્રવાહીને નુકસાન પહોંચાડે છે અથવા પેટમાં તાણ લાવી શકે છે.


ઉચ્ચ પ્રોટીન ખોરાક અને વાસી ખોરાક ન ખાવો જોઈએ
લોકોને ઉચ્ચ પ્રોટીન ખોરાક અને વાસી ખોરાક ટાળવાની સલાહ આપવામાં આવી છે. એડવાઈઝરી મુજબ, 'પાર્ક કરેલા વાહનમાં બાળકો કે પાલતુ પ્રાણીઓને ન છોડો. સરકારે કહ્યું છે કે જો શરીરનું તાપમાન વધારે છે, અથવા બેભાનના કિસ્સામાં તાત્કાલિક 108/102 પર કોલ કરવો જોઈએ.

હવામાન વિભાગની હીટવેવની આગાહી
આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. આગામી દિવસમાં પારો ઉચકાશે અને તેથી લોકોએ સાવધ રહેવાની જરુર છે. આ ઉનાળામાં પારો વધીને 40 ડિગ્રીની ઉપર જઈ શકે છે.

Eliminate extra sources of heat. Incandescent light bulbs can generate unnecessary heat, as can computers or appliances left running. Eat fresh foods that do not require you to use the oven or stove to prepare.


લૂ થી બચવાના ઉપાયો:

ઉનાળા મા ફૂંકાતા ગરમ પવનને લૂ કહે છે. સતત તડકામાં રહેવાથી લૂ એટલે કે હીટ સ્ટ્રોકની સમસ્યાનો સામનો કરવો પડે છે. હજુ તો શિયાળાની વિદાય થઇ છે, ત્યારે સવારે અને રાતે ઠંડક અને બપોરે ઉનાળાની ગરમ હવા સાથેની બેવડી ઋતુમાં અત્યારની બપોરે પડી રહેલી આકરી ગરમીથી લોકોએ સાચવવું પડશે, નહીં તો અચાનક વધી રહેલું તાપમાન સ્વાસ્થ્ય માટે જીવલેણ પણ સાબિત થઇ શકે છે, કારણ કે અન્ય ગંભીર બીમારીઓ અને વાઇરસ જેટલી જ જીવલેણ લૂ હોય છે, જે શરીરનું તાપમાન એકદમ વધારી દે છે. એક સર્વે અનુસાર દર વર્ષે ઘણા લોકો લૂના કારણે મૃત્યુ પામે છે.


લૂ થી બચવાના ઉપાયો

લૂ થી બચવાના ઉપાયો માટે નીચે ના જેવા ઘરેલુ ઉપાય કરી શકાય.

ગરમીના દિવસોમાં ભૂખ્યા પેટે બહાર બિલકુલ ન જવું જોઈએ શરીરમાં એનર્જી લેવલ ગરમીમા જલ્દીથી ઓછું થઈ જાય છે જેના કારણે લૂ લાગવાની સંભાવના વધી જતી હોય છે.
જો તમે એસી કે કૂલરમાં ઠંડા સ્થાન પર હોય અને અચાનક ક્યાય બહાર જવાનું થાય તો તરત ગરમ જગ્યા પર ન જવુ જોઇએ, તેના કારણે લૂ લાગવાની સમસ્યા થઈ શકે છે.
ગરમીના દિવસોમાં આખો દિવસ શરીર માટે જરુરી પાણી પીવું જેથી શરીરમાં પાણીની માત્રા ઓછી ન થઈ જાય.
ભૂલથી પણ બહારથી આવી અને સીધું પાણી ન પીવુ જોઇએ શરીરને થોડી વાર વાતાવરણ સાથે અનુકૂલન સાધવા દો ત્યાર પછી પાણી પીવો અને એકદમ ઠંડુ પાણી પીવું જોઈએ નહીં.
શરીરમા વધારે પરસેવો થવા પર તરત ઠંડું પાણી નહીં પીવું જોઈએ, જે ખતરનાક સાબિત થઈ શકે છે.
ઋતુગત આવતા ફળ જેવા કે જેમાં કેરી લીચી તરબૂચ, મોસંબી વગેરે લૂથી બચાવે છે તે જરૂર લેવા જોઈએ આ સિવાય દહી,મઠ્ઠો, છાશ, લસ્સી, કેરીનું શરબત વગેરે પણ પીતા રહેવું જોઈએ.


ગરમીના દિવસોમાં સરળતાથી પાચન થાય તે રીતે હળવું ભોજન કરવું જોઇએ પરંતુ તેનો મતલબ એ નથી કે તમે ડાયટ સાવ બંધ કરી દો. હળવું ભોજન પણ પેટ ભરીને ખાવું જરૂરી છે.


શાકભાજીના જ્યુસ કે સુપ બનાવી અને પણ પી શકો છો જેનાથી પણ લૂ થે બચી શકાય છે.


દાદીમાના ઘરેલુ નુસ્ખા પ્રમાણે લૂ લાગ્યા બાદ તેનાથી બચવા માટે કાચી કેરીનો લેપ શરીર પર લગાવવો જોઈએ.

લૂ થી બચવા કેરીના ગોટલાને પગના તળિયે ઘસી અને માલિશ પણ કરી શકાય.

ગરમીના કારણે શરીરમાં અડાય થઈ જાય તો ચણાના લોટ ને પાણીમાં ભેળવી અને અડાયની જગ્યા પર લગાવવાથી તેમા રાહત થાય છે.

ફુદીનાના શરબતમાં જીરું અને લવિંગના પાવડર મિક્સ કરી પીવાથી લૂ થી બચાવ થાય છે.

શરબતમાં બરફ નાખી પીવાથી લૂ થી બચાવ થાય છે.
ગરમીના સમય દરમિયાન હળવા ખોરાકનો ઉપયોગ કરવો જોઇએ. વધારે મસાલેદાર ખોરાક લેવાનું ટાળવુ જોઇએ.

જ્યારે તમે ઘરની બહાર જવાનુ થાય ત્યારે સિન્થેટીક કપડાંની જગ્યાએ સંપૂર્ણ સ્લીવ્ડ કોટન અને હળવા રંગના કપડાં પહેરવા જોઇએ.



અમારી TELEGRAM ચેનલમાં જોડાઓ
Stay connected with www.rajasthanptet.in/ for latest updates
Sponsored ads.

No comments

Powered by Blogger.